Wednesday, April 23, 2014

મળવા જેવા માણસ-૧૧ (પ્રા. દિનેશ પાઠક) - પી. કે . દાવડા.

શ્રી. દાવડા સાહેબ દ્વારા મારા બાપુજી પર રજુ કરાયેલ લેખ.
***
પ્રાધ્યાપક દિનેશ પાઠક,

દિનેશભાઈનો જન્મ ૧૯૪૫ માં નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના થળી ગામમાં થયો હતોપાંચ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ થળીમાં થયું હતુંભણવામાં ખુબ હોશિયાર હોવાથી શિક્ષકોના માનીતા હતાજ્યારે  ચોથા ધોરણમાં હતા ત્યારે એક શિક્ષકે એમને પાંચમાં ધોરણનાપ્રશ્ન અને એના સાચા ઉત્તર વાંચવા આપ્યાદિનેશભાઈએ બધા પ્રશ્નો અને તેના જવાબો સમજીને યાદ કરી લીધાશિક્ષકે પરીક્ષા લીધી તોબધા ઉત્તર સાચા હતાજ્યારે પાંચમાં ધોરણના વિદ્યાર્થીઓ પણ બધા સાચા ઉત્તર આપી શક્યા  હતા.
પાંચમાં ધોરણ સુધીની શાળા તો થળીમાં  હતી પણ છઠ્ઠા ધોરણથી આગળ ભણવા માટે એમને બે કીલોમિટર દૂર આવેલી શાળામાં જવુંપડતું શાળામાં પહોંચવા તેમને ખેતરોમાંથી અને સૂકાઈ ગયેલા વોંકડામાંથી પસાર થવું પડતું અને આને લીધે ચોમાસામાં ખૂબ મુશ્કેલીપડતીકોઈક વાર તો વોંકડામાં પાણીનો પ્રવાહ એટલો રહેતો કે તણાઈ  જવાય એટલે ત્રણ ચાર વિદ્યાર્થીઓ એક બીજાઓ હાથ પકડીવોંકડા પાર કરતા.
૧૯૫૭ માં દિનેશભાઈ આગળ અભ્યાસ માટે બહેનના ઘરે ધંધુકા રહેવા ગયાઅહીં એમના ભાણેજ એમને દિનુ મામા કહી બોલાવતા એટલેનાના મોટા બીજા બધા પણ એમને દિનુમામા કહેતા.(આજે પણ ઘણા લોકો એમને દિનુ મામા કહીને  બોલાવે છે.) ધંધુકાની શાળામાં એમનેદુહારાસ અને છંદો ગાવાનો મોકો મળ્યો એટલું સરસ ગાતા કે સવારની પ્રાર્થનામાં ભજન ગાવાનું એમના ભાગે  આવતું.
બે વર્ષ બાદ બહેન-બનેવી વડોદરામાં સ્થાયી થયા એટલે દિનેશભાઈ પણ વડોદરા આવી ગયાબનેવી ગાંધીવાદી વિચારધારાના હોવાથીદિનેશભાઈને બાળપણથી  સારા સંસ્કાર અને પરોપકારની શિક્ષા મળીવડોદરામાં  શાળાનું શિક્ષણ પૂરૂં કરી વડોદરાની પ્રખ્યાત Faculty of Technology and Engineering (કલાભવનનાં આર્કિટ્ક્ચર વિભાગમાં દાખલ થયાઅહીં પણ એમણે સાથે ભણતા વિદ્યાર્થીઓને સમુહકાર્યોમાં જરૂરી મદદ પૂરી પાડીઅહીં એમને પ્રથમવાર  અનુભવ થયો કે Practical Life માં માત્ર હોશિયારી  પૂરતી નથીઓળખાણ-લાગવગ પણ એટલા  મહત્વના છે વાતની જાણ તેમને સરકારમાં મોટા પદો પર બેઠેલા માણસોના પુત્ર-પુત્રીઓજે એમના સહપાઠીઓહતા તેમની મારફત થઈસ્નાતક થયા પછી  વાતની એમને પ્રતિતી થઈ ગઈ.
વ્યવસાયિક જીવનની શરૂઆત તેમણે - મહિના માટે સુરત અને ગાંધીનગર કેપિટલ પ્રોજેકટ્સમાં કામ કર્યુંઅને ત્યાર બાદ વડોદરામ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોડાયામ્યુનિસિપાલીટીમાં કામ દરમ્યાન ત્યાં ચાલતી ગેરરીતિઓથી કંટાળી જઈ આખરે તેમણે દસ વર્ષ કામકર્યા પછી રાજીનામું આપ્યું અને કલાભવનમાં પ્રાધ્યાપકની નોકરી સ્વીકારીત્યાં તેમણે ૨૯ વર્ષ સુધી કામ કર્યું.
આતો વાતો થઈ અભ્યાસ અને રોજી-રોટીનીપણ દિનેશભાઈને મળવા જેવા માણસ બનાવે છે એમની સામાજીક અને ઈતર પ્રવૃતિઓનાનીવયથી  એમણે સંગીતનાટકવાંચન અને પર્યટનનો શોખ કેળવ્યોસંતોસમાજસેવકોલેખકોકવિઓ અને કલાકારોને જોવાની અનેમળવાની એમને તીવ્ર ઉત્કંઠા રહેતીઅત્યાર સુધીમાં ૩૦૦ થી ૪૦૦ મહાનુભવોના પ્રત્યક્ષ દર્શન અને રૂબરૂ મુલાકાતોનો લાભ એમને મળ્યોછેપર્યટન શોખીન દિનેશભાઈએ ભારતમાં હરિયાણારાજસ્થાન અને ગુજરાતનાં ૨૦૦ જેટલા સ્થળોની મુલાકત લીધી છેપરદેશમાં નેપાલઅને કતારની મુલાકાતો પણ લીધી છે.
આકાશવાણી દ્વારા ત્રણ વાર એમનો વાર્તાલાપ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને વડોદરા સ્થાનિક ચેનલ JTV દ્વારા વિવિધ વિષય પર૨૦૦ વાર્તાલાપ પ્રસારિત કરવામાં આવ્યા હતાએમણે ૬૦૦ જેટલા કાવ્યોની રચના કરી છેજેમાં એમણે પ્રકૃતિસંસ્કૄતિભજન અને ગીતાનોઉપદેશ રજૂ કર્યા છેએમના કાવ્યોના પુસ્તક “મારે હ્રદય વસ્યો ધનશ્યામ” માંથી ઘણા ગીતો શશાંક ફડનીસે સ્વરબધ્ધ કર્યા છે સિવાયઅલગ અલગ વિષય પર એમના દસ પુસ્તકો પ્રસિધ્ધ થયા છે.
સામાજીક પ્રવૃતિઓમાં રોટરી કલબલાયન્સ કલબ અને સીનિયર સીટિઝન્સ માટેના સંઘઠનોમાં સક્રીય ભાગ લીધો છેએમનો મોટો ફાળોતત્વવેત્તા અને સમાજ સુધારક શાસ્ત્રી પાંડુરંગ આઠાવલેની સ્વાધ્યાય ચળવળમાં રહ્યો છે૧૯૬૨ થી એમણે પાંડુરંગ શાસ્ત્રીના પ્રવચનોવાંચવાનું શરૂ કર્યું૧૯૬૮ માં પહેલીવાર એમણે એમના પ્રવચનમાં હાજર રહી એમની વાતો સાંભળી૧૯૭૩ થી તેઓ સક્રીય રીતે સ્વાધ્યાયચળવળમાં જોડાઈ ગયા૧૯૭૭-૭૮ થી શાસ્ત્રીજી સાથે એમનો સંપર્ક વધ્યો અને એમણે જીલ્લાના ક્ષેત્રપાલ તરીકે જવાબદારી સ્વીકારી.સ્વાધ્યા પ્રવૃતિને અનુલક્ષીને એમણે ૬૦૦ જેટલા ભાવગીતો લખ્યાએકવાર શાસ્ત્રીજીએ એમને સૂચવ્યું કે તમે ભલે આર્કિટેક્ટ છો પણ જન્મથીબ્રાહ્મણ છો એટલે જાહેરમાં સત્યનારાણની કથા કરોશાસ્ત્રીજીની આજ્ઞા શિરોમાન્ય કરી એમણે કથાના અર્થ અને મર્મનો અભ્યાસ કરીને સમજીલીધો, અને ત્યારબાદ શાસ્ત્રીજીની હાજરીમાં કથા કરીશાસ્ત્રીજી જે પોતે ધાર્મિક વિષયોના ઉચ્ચ કોટિના નિષ્ણાત છેતેમણે કહ્યું કે ૨૩ વર્ષબાદ એમણે આવી સરસ અર્થપુર્ણ સત્યનારાયણની કથા સાંભળી.
૩૨ વર્ષ સુધી સ્વાધ્યાય ચળવળમાં સક્રીય રહ્યા બાદસ્વાસથ્ય ખરાબ થવાથી નિવૃતિ લીધીતેમના  શબ્દોમાં કહું તો, “મારું મુખ્ય કામપ્રવચન આપવાસાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાવિવિધ Group Sittings કરીને આયોજન કરવાનુંયુવા પ્રવૃત્તિ અને ભાવગીતો લખવાનું હતું.ભાવ ફેરીઓ પણ ઘણી કરી અને એનાં લીધે ભારતનાં લગભગ ૪૦૦ ગામડાં જેમાના ૧૫૦-૨૦૦ ગુજરાત-સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં ફરવા અનેસંસ્કૃતિની વાતો ફેલાવોનો મોકો મળ્યો.  સ્વાધ્યાય પ્રવૃત્તિ દ્વારા રજુ કરાયેલ ભાવગીતોના સંગ્રહ તીર્થ યાત્રા” માં‌ ચાલી વણઝાર’ અનેઅમૃતાલયમ ભાવગીત સંગ્રહમાં ‘તારો હું થઈ જાઉં કનૈયા’ ગીતો સુરેશ વાડકરમનહર ઉધાસ અને અનુરાધા પૌડવાલે ગાયા છે.”
નિવૃતિની પ્રવૃતિ વિશે તેઓ કહે છે, “નિવૃત્તિના સમયમાં હું મુખ્યત્વે લેખનમાં સમય ગાળું છુંવડોદરમાં  રહીને Senior Citizen Club, Rotary Club, Lions Club,  દિવ્ય જીવન સંઘ,  અવધૂત પરિવાર,  સાંઈ પરિવાર જેવી સંસ્થાઓમાં પ્રવચનો આપું છુંનિવૃત્તિ પછી પણ પુસ્તકો લખવાનો દોર ચાલુ રહ્યો છેમિત્રો અને સ્નેહીજનો મને વિવિધ વિષયો પર પુસ્તક લખવાની સલાહ આપે છેમારું પ્રથમ પુસ્તક ષોડશસંસ્કાર’ બહુ વખાણાયું અને આજે પણ સારું એવું વંચાય છેથોડા સમય પહેલાં  મને ગુજરાત પુસ્તકાલયવડોદરામાંથી ફોન આવ્યો કે એકભાઈ‌ એક સાથે ૪૦૦ પુસ્તકો લઈ ગયાઆજે  પુસ્તકને લખાયે ૧૦ વર્ષથી ઉપર થઈ ગયા તો પણ લોકોને યાદ છે એને હું મારી જીંદગીનીમૂડી ગણું છું.
દિનેશભાઈ પુત્ર અને પુત્રવધુની  મદદથી એક બ્લોગનું સંચાલન કરે છે.  મેં જ્યારે  લેખ માટે થોડી જરૂરી માહિતી માટે ફોન કરેલો ત્યારેતેઓ ડાયાલીસીસ ઉપર હતા,  છતાં મારી સાથે પ્રેમથી વાત કરી અને બે દિવસમાં  મને જરૂરી માહિતી મોકલી આપી.
અંતમાં હું કહીશ, “દિનુમામા જીંદાબાદ…”
-પીકે . દાવડા